ઉનામાં ટીબીના ઈલાજ માટે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

          ઉના ખાતે ટીબીના ઈલાજ માટે જનજાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. દિપક પરમારે ટીબીના રોગના ઈલાજ વિશે ખાનગી તબીબીને માર્ગદર્શન-જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઉના તાલુકાના અગ્રગણ્ય ખાનગી તબીબી સહભાગી થયા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગના તૌસિફ શેખ, નિલેશ ઝાલા સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment