હિન્દ ન્યુઝ, જામનગર
તાજેતર માં મહાત્મા નાથુરામ ગોડસે ની ૧૫ નવેમ્બર પુણ્યતિથિ નિમિતે ગોડસેજી ની પ્રતિમાં પ્રસ્થાપિત કરવાનું આયોજન હિન્દુ સેનાએ કરેલ છે. જેને લઈ શહેર ના ઇન્દિરા માર્ગ પર પંજાબી ફોજી ધાબા પાછળ આવેલ કરોડપતિ હનુમાનજી (શ્રી રઘુવંશી હનુમાનજી) મંદિર ખાતે ૨- ઓકટોબર -૨૦૨૧ ના રાત્રે ૯.૦૦થી ૧૦.૦૦ હિન્દુ સેનાની અગત્યની બેઠક રાખેલ છે.
આ બેઠક માં સરકાર પાસે ગોડસેજી ની પ્રતિમાં સ્થાપિત કરવા માંગણી મૂકવાની તેમજ અગત્ય ના વિષય પર ચર્ચા કરવાની સાથોસાથ જામનગર ના સીમાંકન સાથે નવી જવાબદારી ની ઘોષણા થશે. તેમજ ૩ ઓકટોબર ૨૦૨૧ થી સરૂ થતું ગુરૂદ્વારા પાસે આશીર્વાદ કોમ્પલેક્ષ- એ, હિમાલયા હેર આર્ટ ઉપર મહાત્મા નાથુરામ ગોડસે કાર્યાલય સવારે ૯.૦૦ થી રાત્રિ ના ૧૦.૦૦ દરમિયાન ખુલ્લું રહેશે.