થરાદ શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત પંડિત દિનદયાળજી જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અને સેવા વસ્તી ની બહેનો ને સાડી વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, થરાદ

કેન્દ્રીય પક્ષના નિર્દેશાનુસાર વડાપ્રધાનનો જન્મદિવસ આ વર્ષે તા.૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોબર , ૨૦૨૧ સુધી વિભિન્ન કાર્યક્રમોના માધ્યમોથી ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત થરાદ શહેર ભાજપ દ્વારા સેવા કાર્યો નું આયોજન કરેલ છે. જેનાં ભાગ રૂપે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી જન્મદિવસ નિમિત્તે કિસાન મોરચા દ્વારા પંડિત દિનદયાળજી ને પુષ્પાંજલિ અને સેવા વસ્તીની બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કિસાન મોરચા પ્રમુખ ચોથાભાઈ દેસાઈ અને મહામંત્રી નટુભાઈ વાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ટી.પી.રાજપૂત, બનાસબેંક ના ડિરેકટર શૈલેષભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી મદનલાલ પટેલ, પ્રભારી નાગજીભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ સોની, મહામંત્રી જેહાભાઈ હડીયલ, જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પટેલ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ કોકીલાબેન પ્રજાપતિ, કિસાન મોરચા પ્રમુખ ચોથાભાઈ દેસાઈ,કિસાન મોરચા મહામંત્રી નટુભાઈ વાણિયા, લવજીભાઈ વાણિયા, તગજીભાઈ બારોટ, મહેશભાઈ વાણિયા, ગગદાસભાઈ હડીયલ, કૌશિકભાઈ ત્રિવેદી,મહેશભાઈ ત્રિવેદી, કિસાન મોરચા ઉપપ્રમુખ સુરેશભાઈ પરમાર, ઉપેન્દ્રભાઇ પરમાર, મંત્રી હિતેશભાઇ વાણિયા, જીતુભાઇ મહેશ્વરી, મહિલા મોરચા પ્રમુખ કલાવતીબેન રાઠોડ, મહામંત્રી શારદાબેન ભાટી, પિરાભાઈ નજાર, ઉપપ્રમુખ રામાભાઈ લુહાર, ઉપેન્દ્રભાઇ પરમાર, યુવા પ્રમુખ હિતેશભાઇ વાણિયા, ઉપપ્રમુખ રસિકભાઈ વાણિયા, સંગઠન ઉપપ્રમુખ દિપિકાબેન પટેલ, મંત્રી કપિલાબેન દવે, પૂર્વ મહામંત્રી પ્રતાપભાઈ સોની, બક્ષીમોરચા પ્રમુખ કિસનભાઇ પ્રજાપતિ, મહિલા મોરચા ઉપપ્રમુખ અલકાબેન ત્રિવેદી, આઈ ટી ઇન્ચાર્જ રમેશભાઈ પુરોહિત, યુવા ઉપપ્રમુખ ભરતભાઈ પ્રજાપતિ મંત્રી કપિલ ભાઈ ત્રિવેદી હરેશભાઈ દોહટ, ભાવેશભાઈ રામાની, સેવા વસ્તી ની બહેનો અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ કલાવતીબેન પિરાભાઈ નજાર દ્વારા પ્રાથમિક શાળા ના બાળકો ને “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત શિવનગર ખાતે પુસ્તકો અને નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment