લાખણી તાલુકાનાં કુડા ગામે જુના શિવજી ના મંદિરમાં બિલિપત્ર પર રામ નામ લખી ભોળા નાથ નું પુજન અર્ચન કરવામાં આવ્યું.

હિન્દ ન્યુઝ, લાખણી

તા.05-09-2021 લાખણીના કુડા ગામે શ્રી રામેશ્વર મહાદેવ (જુના શંકર) ના મંદિરમાં બિલિપત્ર પર ભગવાન રામ નામ મંત્ર લખી પુજન અર્ચન કરવામાં આવે છે..

પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતી એ ભગવાન શિવ ને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું હતું

અને ભોળા નાથ ને રીઝવવા માટે બિલિપત્ર પર રામ નામ મંત્ર લખી સૌપ્રથમ વખત ભોળા નાથ ને અર્પણ કર્યા હતા.

. તેનાથી પ્રસન્ન થઈ ભોળાનાથે મા પાર્વતી નો પત્ની ના રુપ મા સ્વીકાર કર્યો હતો…

રામ ભગવાન શિવ ના આરાધ્ય છે. રામ નામ લખી બિલિપત્ર ચઢાવવાંથી ભોળાનાથ પ્રસન્ન થાય છે

અને ભકતો ની મનોકામનાઓ પુરી કરે છે.

પુન્ય પવિત્ર શ્રાવણ માસમાં રામેશ્વર મહાદેવ (જુના શંકરે) શાસ્ત્રી સંજય કુમાર દવે દ્વારા રામ નામ લખી બિલિપત્ર થી ભોળાનાથ નું પુજન અર્ચન કરવામાં આવે છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment