રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત તા.૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી કરાશે.

નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડનું શાહ નિરીક્ષણ કરશે.

Related posts

Leave a Comment