વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૧-૨૨ના વર્ષનું ઘાસ વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની પ્રથમ વખતની જાહેર હરાજી રાખવામાં આવેલ છે. તો કોઈને બિન અનામત વીડીઓ ઈજારા થી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે.

જેમા ભાવનગર તાલુકાના થોરડી ગામે ૭.૯૬ હે.આર. વિસ્તારમાં, લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર. વિસ્તારમાં, ઘોઘા તાલુકાના જુનાપાદર ગામે ૨૭.૯૪ હે.આર. વિસ્તારમા, સાણોદર ગામે ૨૧.૪૦ હે.આર. વિસ્તારમાં, ભવાનીપરા ગામે ૭.૯૨ હે.આર. વિસ્તારમાં, ઉખરલા ગામે ૨૦.૯૪ હે.આર. વિસ્તારમાં, શિહોર તાલુકાના ઈશ્વરીયા ગામે ૨૪.૮૦ હે.આર. વિસ્તારમાં, ભાંખલ ગામે ૮૭.૯૭ હે.આર. વિસ્તારમાં, લાંબધાર ગામે ૧૮.૨૧ હે.આર. વિસ્તારમાં, ઝરીયા ગામે ૮.૦૯ હે.આર. વિસ્તારમાં, ચિકોતરા ઘોડીગાળો ગામે ૨૨૧.૪૨ હે.આર. વિસ્તારમાં, ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે ૩૪.૨૬ હે.આર. વિસ્તારમાં, પરવાળા ગામે ૪.૬૩ હે.આર. વિસ્તારમાં, મહુવા તાલુકાના મોદા ગામે ૪૪.૨૫ હે.આર. વિસ્તારમાં, તળાજા તાલુકાના પછેડીધાર ગામે ૨.૦૨ હે.આર. વિસ્તારમાં, નવકુકરી ગામે ૧૩૭.૯૨ હે.આર. વિસ્તારમાં, પાલીતાણા તાલુકાના મેઢા ગામે ૧૨.૪૬ હે.આર. વિસ્તારમાં, જેસર તાલુકાના દડુલી ગામે ૯.૦૪ હે.આર. વિસ્તારમાં, ગઢડા તાલુકાના હરીપર ગામે ૧૬.૭૨ હે.આર. વિસ્તારમાં, માંડવધાર ગામે ૨૪.૭૬ હે.આર. વિસ્તારમાં, સખનેસડા(માંડવધાર) ગામે ૧૯.૮૪ હે.આર. વિસ્તારમાં, ખોપાળા ગામે ૧૭.૬૫ હે.આર. વિસ્તારમાં અને બોટાદ તાલુકાના ખાખોઈ ગામે ૪૨.૫૫ હે.આર. વિસ્તારમાં વીડીમા લેવામા આવેલ પ્લાન્ટેશન તથા એડવાન્સ વર્કસને નુકસાન ન થાય તે શરતે હરાજીમા આપવામા આવનાર છે. જેમા ભાવનગર અને ઘોઘા તાલુકામા ૧૫ તારીખે ૧૨:૩૦ કલાકે, શિહોર અને ઉમરાળા તાલુકામા ૧૫ તારીખે ૧૬:૦૦ કલાકે, મહુવા અને તળાજા તાલુકામા ૧૬ તારીખે ૧૨:૩૦ કલાકે, પાલીતાણા તાલુકામા ૧૭ તારીખે ૧૨:૩૦ કલાકે, જેસર તાલુકામા ૧૭ તારીખે ૧૬:૦૦ કલાકે, ગઢડા અને બોટાદ તાલુકામા ૧૮ તારીખે ૧૨:૩૦ કલાકે રેન્જ ઓફીસરશ્રીની કચેરી ખાતે હરાજી યોજાશે.

માંગણીદારે માંગણી કરતા પહેલા રૂ.૧૦૦ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે રોકડ ભરી અને ત્યારબાદ માંગણી કરી શકશે. હરાજીમાં નિષ્ફળ ગયેલ માંગણીદારોને અર્નેસ્ટ મનીની રકમ તુરંત જ પરત કરવામાં આવશે અને સફળ માંગણીદારના કિસ્સામાં માંગણીની રકમના ૧૦% અથવા રૂ.૧૦૦ એ બેમાંથી જે વધારે રકમ હશે તે ડિપોઝીટ તરીકે રકમ અને માંગણીના ૧/૪ રકમ હરાજીના સમયે રોકડા ભરવા પડશે. આ મુજબની રકમ ભરવા માંગણીદાર નિષ્ફળ જશે તો તે વીડીના મૂળ માંગણીદારના ખર્ચે અને જોખમે વીડીની ફેર હરાજી કરવામાં આવશે અને આમ કરતાં જો સરકારશ્રીને કોઈ નુકસાન જશે તો તે રકમ મૂળ માંગણીદાર પાસેથી રેવન્યુ રાહે વસુલાત કરવામાં આવશે અને જો કોઈ ફાયદો થશે તો તેના ઉપર મૂળ માંગણીદારનો હક રહેશે નહીં.

જાહેર હરાજીની શરતો હરાજી વખતે સ્થળ ઉપર રૂબરૂ વાંચી સંભળાવવામાં આવશે. વિશેષ માહિતીની જરૂર જણાય તો ઓફિસના કામકાજના દિવસોએ અને સમયે અત્રેની કચેરીમાં અથવા જે તે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ રૂબરૂ સંપર્ક સાધવાથી મળી શકશે. આ તમામ વીડીઓ પૈકી કોઈપણ વીડીની હરાજી બંધ રાખવાનો અધિકાર નાયબ વન સંરક્ષક ભાવનગર વિભાગનો અધિકાર રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment