આર્મી ભરતી લેખિત પરીક્ષાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

     દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે તા.૨૫/૦૭/૨૦૨૧ નાં રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે લેખિત પરીક્ષા યોજાનાર છે. દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી રેલી દરમિયાન આપવામાં આવેલ એડમિટ કાર્ડ હવે માન્ય રહેશે નહી. તેથી ભાવનગર જિલ્લાનાં ઉમેદવારોએ તા.૧૫/૦૭/૨૦૨૧ થી તા.૧૭/૦૭/૨૦૨૧ દરમિયાન એ.આર.ઓ., જામનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ જુનુ એડમિટ કાર્ડ ફરજિયાત પરત કરવાનું રહેશે. તેમજ નવું એડમિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે તેથી સાથે પાસપોર્ટ ફોટોગ્રાફ પણ લઈ જવાનાં રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment