હિન્દ ન્યૂઝ, ભાવનગર
‘બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજના’ માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ. જેમાં મનો દિવ્યાંગતાનું ધોરણ ૮૦% થી ઘટાડીને ૭૫% કરી સુધારો કરવામાં આવ્યો છે તેમજ ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ અંતર્ગતની અન્ય બે દિવ્યાંગતાઓ ઓટીઝમ અને સેરેબલ પાલ્સી એમ બંને દિવ્યાંગતાનો પણ આ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. આમ બૌધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા ૭૫% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તે લોકો લાભ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આ ઠરાવથી ઉક્ત દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ માસિક રૂપિયા એક હજારનું પેન્શન મેળવવા પાત્ર બનશે. આ યોજનામાં અરજી કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમજ વધુ માહિતી માટે ફોન નં.૦૨૭૮-૨૪૨૫૬૦૯ પર અથવા ઇ-મેલ આઇ.ડી. dsdo-bav@gujarat.gov.in પર સંપર્ક કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી