દિવ્યાંગ વ્યક્તિઓના પેન્શનમાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ

હિન્દ ન્યૂઝ, ભાવનગર

‘બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજના’ માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ. જેમાં મનો દિવ્યાંગતાનું ધોરણ ૮૦% થી ઘટાડીને ૭૫% કરી સુધારો કરવામાં આવ્યો છે તેમજ ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ અંતર્ગતની અન્ય બે દિવ્યાંગતાઓ ઓટીઝમ અને સેરેબલ પાલ્સી એમ બંને દિવ્યાંગતાનો પણ આ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. આમ બૌધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા ૭૫% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તે લોકો લાભ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આ ઠરાવથી ઉક્ત દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ માસિક રૂપિયા એક હજારનું પેન્શન મેળવવા પાત્ર બનશે. આ યોજનામાં અરજી કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમજ વધુ માહિતી માટે ફોન નં.૦૨૭૮-૨૪૨૫૬૦૯ પર અથવા ઇ-મેલ આઇ.ડી. dsdo-bav@gujarat.gov.in પર સંપર્ક કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment