વૈસાખ સુદિ પાચમ ના રોજ શ્રી સોમનાથના 71 માં તિથી પ્રમાણેના સ્થાપના દિન ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, સોમનાથ

    આજરોજ સોમનાથ મંદિરના સ્થાપના દિન ની તિથી પ્રમાણે ઉજવણી કરવમાં આવી હતી,70 વર્ષ પહેલા વૈશાખ સુદ પાચમના દિવસ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનો સુવર્ણદિન બની ગયો, સવારે 9 કલાકે 46 મીનીટે શુભ મુહર્તમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ બાબુ એ દેવ-પ્રતિષ્ઠા મંત્રોના ગાન અને વેદમંત્રોના ઉચ્ચારણના પવિત્ર અને ઉલ્લાસમય વાતાવરણમાં લિંગોપરી સુવર્ણ-શલાકા ખેંચી ત્યારે ભગવાનની મૂર્તિમાં દેવતત્વ પ્રતિષ્ઠિત થયું તેવી ભાવના વ્યક્ત કરતા ઋષિગણ ગણના સુસ્થિરોભવ ના ઉચ્ચારોથી મોટી સંખ્યામાં હાજર રહેલી જનમેદનીએ ધન્યતા અનુભવી અને જય સોમનાથ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું.
આજરોજ સવારે 9 કલાકે અને 46 મીનીટે સોમનાથ મહાદેવ ની મહાપૂજા કરવામા આવી હતી અને સરદારની વંદના અને પૂષ્પાંજલી કરવામાં આવેલ હતી. સાંજે સોમનાથ મહાદેવને દિપમાલા અને વિશેષ શૃંગાર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા 

Related posts

Leave a Comment