જામ ખંભાળિયા મા RTPCR લેબ નું ઉદ્ઘાટન કરતા રાજ્ય સરકાર ના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા)

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના વરદ હસ્તે RTPCR લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ કલેક્ટર ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા ભાજપ દ્વારા ચાલતું કોવિડ કેર આયસોલેશન ની મુલાકાત લીધી હતી તેમજ વરિયા પ્રજાપતિ સમાજ ખાતે દર્દીઓ ના સગા માટે જિલ્લા ભાજપ દ્વારા ચાલતું રહેવા જમવાની વ્યવસ્થા સેન્ટર પર મુલાકાત કરી દર્દીઓ ના સગા મળી વ્યવસ્થા અંગે સુચન હોય તો જણાવવા કીધું હતું.  દેવભૂમિ દ્વારકાnu જિલ્લામાં કોવિડ ટેસ્ટ લેબ શરૂ થતાં રાહત ની લાગણી વ્યાપી છે.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment