દાંતીયા ગામે યુવાનોએ રખડતી ગાયો સરાહનીય કામગીરી કરી

હિન્દ ન્યૂઝ, દાંતીયા 

    સેવા પરમો ધર્મના સૂત્ર થકી લોકો ઘણા બધા ઉમદા કાર્યો કરી કામગીરી કરી રહ્યા છે ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામે ગામના યુવાઓ દ્વારા એક સરાહનીય કામગીરી બજાવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રેરણાદાયી બન્યા છે. દાંતીયા ગામે રખડતી ગાયો પાણી માટે જયાં ત્યાં વલખા ન મારે તે માટે યુવાનોએ અવાવરું ટાંકું સાફ કરીને ટાંકામાં પાણી ચાલુ કરી સરાહનીય કામગીરી બજાવી હતી, જોકે ગામના રવજીભાઈ પુરોહિત, શિવરામભાઈ પુરોહિત, રામાભાઈ પુરોહિત, દિનેશભાઈ સહિતના પુરોહિત ભાઈઓ ઉપસ્થિત રહી ઉમદા કાર્ય પુરૂં પાડયું હતું.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment