હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા
બંગાળમાં ચૂંટણી પરીણામો બાદ ફાટી નીકળેલી હિંસા મા ભાજપના કાર્યકરો ની હત્યા ને ભાજપના કાર્યાલયો મા તોડફોડ કરવામાં આવતા આ ઘટના ને સખ્ત શબ્દોમાં વખોડી ને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અને ખંભાળિયા શહેર અને તાલુકા ભાજપ દ્વારા એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ધરણા યોજવામાં આવ્યા.
જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, જિલ્લા પંચાયત ના વી.ડી.મોરી પી.એસ જાડેજા, જિલ્લા મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, યુવરાજસિંહ વાઢેર, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણજારીયા, ગોવિંદભાઇ કનારા, સંજયભાઈ નકુમ, રસિકભાઈ નકુમ, જીજ્ઞેશભાઈ પરમાર, જગુભાઇ રાયચુરા, હીનાબેન આચાર્ય, વનરાજસિંહ વાઢેર, ભવ્યભાઈ ગોકાણી, હસુભાઈ ધોળકિયા, નિસાત ચાકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ સરકારી ગાઈડલાયન મુજબ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા