સમગ્ર જિલ્લાઓ માં સાથે સાબરકાંઠા જિલ્લા નાં હિંમતનગર તાલુકામાં હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં માસ્ક સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે સ્થાનિકોમાં જાગૃતતા આવે અને લોકો માસ્ક નો ઉપયોગ કરતા થાય અને કોરોના ના કપળા કારમાં સંક્રમિત ના થાય એ માટે સ્થાનિક પોલીસ સાથે હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારોએ બજારમાં માસ્ક વિના ફરતા લોકોને માસ્ક વિતરણ કરી ફરજીયાત માસ્ક પહેરવા અનુરોધ કર્યો હતો અને લોકોને જાગૃત કરવા માટે હિન્દુ યુવા સંગઠનના જિલ્લા અધ્યક્ષ સરવીનભાઈ પટેલ, તાલુકા અધ્યક્ષ પ્રફુલભાઈ સોની, જિલ્લા પ્રભારી પ્રતિકભાઇ પટેલ શહેર મંત્રી યતીનભાઈ વ્યાસ, કેતનભાઈ શ્રીમાળી, સુનિલભાઈ શાહ સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ હાજર રહી માસ્ક વિતરણ કર્યું હતું.
રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર