હિન્દ ન્યૂઝ, ખંભાળીયા
આજરોજ ભારતીય જનતા પાર્ટી ના 42 મા સ્થાપના દિવસ નિમિત્તે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પ્રમુખ, મહામંત્રી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન ના ઘરે જય ને શહેર ભાજપ ટીમ દ્વારા ભાજપના ધ્વજ લગાડવા મા આવ્યા. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ, આચાર્ય શહેર ભાજપ ના અશોકભાઈ કાનાણી, જીજ્ઞેશભાઈ પરમાર, મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઇ કણજારીયા, અતુલભાઈ ગોહેલ, નિસાત ચાકી સહિત ના કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : જયરાજ માખેચા, ખંભાળીયા