માંગરોળ તાલુકાની કોસંબા APMC ખાતે દર શનિવારે ભરાતો શનિવારી બજાર બંધ

હિન્દ ન્યૂઝ,માંગરોળ

       માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે કોસંબા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ કાર્યરત છે.આ APMC ખાતે દર શનિવારે-શનિવારી બજાર ભરાય છે. જે તારીખ 27 મી માર્ચના રોજ બંધ રહેશે એમ સમિતિ નાં મંત્રી અજીતસિંહ અટોદરિયા એ જણાવ્યું છે. સાથે વધુમાં જણાવ્યું છે કે APMC નું નાણાંકીય વર્ષ તારીખ 31 મી માર્ચના રોજ પૂર્ણ થતું હોવાથી જે વેપારીમિત્રો, દુકાન કે ગોડાઉન વપરાશકારો માંથી જેમની પાસે માર્કેટ, દુકાન કે ગોડાઉનની જે ફી બાકી હોય, તે આગામી તારીખ 31 મી માર્ચ-૨૦૨૧ સુધીમાં જમા કરાવી જવા સમિતિનાં મંત્રી અજીતસિંહ અટોદરિયા એ જણાવ્યું છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment