રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૦.૯.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે ગાંધીનગર થી સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે આવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરનાર છે. મુખ્યમંત્રી સાંજે ૫ થી ૬ વાગ્યે આવવાના છે. તેમનો આગળનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે, તેમ છતાં સાંજે હેલિકોપ્ટર રસ્તે આગમન બાદ સાગર દર્શન રેસ્ટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ વહેલી સવારે ૫ થી ૬ વાગ્યા દરમિયાન સોમનાથ ભગવાનના ચરણમાં શિશ નમાવીને લોકોને કોરોનાની આફતમાંથી મુકત કરવા પૂજન-અર્ચન તેમજ અભિષેક, આરાધના કરશે, ત્યારબાદ પરત રવાના થશે. એટલું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીના આગમનના અનુસંધાને સોમનાથ પરિસર સહિતના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ