રાજકોટ શહેરના પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજા કોઈપણ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં ન આવ્યા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટ ,

રાજકોટ શહેરમાં નિર્મલા કોન્વેન્ટ માતૃકૃપા-૪ બાલમુકુંદ પ્લોટ ખાતે રહેતા પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજાને ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂરતી તકેદારી અને જાહેર સ્થળોએ જવાનું ટાળવા છતાં પણ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનુ જાણવા મળ્યું છે. થોડા દિવસો પહેલા જ W.H.O. અને અન્ય આરોગ્ય સંસ્થાઓએ કોરોના વાયરસ હવામાં પણ ફેલાતો હોવાની પુષ્ટિ કરી હતી. એ જ રીતે રાજકોટના પત્રકાર પણ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં ના આવ્યા છતાં પણ કોરોના પોઝિટિવ આવતા વાયરસના લક્ષણ હવામાંથી જ લાગ્યા હોવાનું લાગી રહ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment