3 મહિનાના ધૈર્યરાજને રૂ.16 કરોડની જરૂર હોવાથી ચોટીલાનાં યુવાનોએ ધૈર્યરાજ માટે દાન એકત્રિત કર્યું

ગંભીર બિમારીથી પિડાતા ધૈર્યરાજસિંહ માટે હાલક

હિન્દ ન્યૂઝ, ચોટીલા

મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના 3 મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને તમારી મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાત ભરમાંથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે.

ત્યારે ચોટીલાના રવિરાજસિંહ ઝાલા, અક્ષયપાલસિંહ ચૌહાણ, યુવરાજસિંહ જાડેજા, મીતરાજસિંહ ચૌહાણ, દીપરાજસિંહ ઝાલા, રવિભાઈ મોચી, લક્કીરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ જાડેજા દ્વારા ચોટીલા શહેરમાં તેમજ હાઇવે પર થી ૨૧,૫૦૦/- રૂ.નું ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું હતું.

અહેવાલ : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment