માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબસ્ટેશન માંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો તારીખ 9 નાં બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

                       માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબસ્ટેશન માંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો તારીખ 9 મી માર્ચના બંધ રહેશે. 9 મી માર્ચના આ બન્ને વિજ ફીડરો ઉપર મેઇન્ટેન્સની કામગીરી કરવાની હોવાથી વિજ પુરવઠો બંધ રાખવામાં આવશે. નિજાનદ વિજ ફીડર પર સવારે 8 થી સાંજે 18 અને લખાણી વિજ ફીડર પર સવારે 9.30 થી બોપોરે 13 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ બન્ને વીજફીડરો પર કેટલાંક ઔદ્યોગિક એકમોના વીજ જોડાણો પણ આવેલા છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment