દિયોદર ખાતે ઓગડ મહંત શ્રી બળદેવનાથજી બાપુ ના વરદહસ્તે જીવનદીપ હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

               દિયોદર નગરજનો તેમજ ગ્રામીણ વિસ્તારો ના લોકો માટે અદ્યતન સુવિધા ધરાવતી દેલવાડા રોડ ખાતે તારીખ 7/ 3/ 2021 ના રોજ જીવનદીપ હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આ હોસ્પિટલ નો શુભારંભ શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી બાપુ ગુરુ વસંતનાથજી મહારાજ (દેવદરબાર જાગીર મઠ) દ્રારા હોસ્પિટલ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહંત શ્રી 1008 બળદેવનાથજી વસંત નાથજી મહારાજ (દેવદરબાર જાગીર મઠ) ધારાસભ્ય શિવભાઈ ભુરિયા, પરમ પૂજ્ય સંત શ્રી દાસ બાપુ (ટોટાણા આશ્રમ) મહંત શ્રી 1008 અંકુશ ગિરી બાપુ (અંબાજી આશ્રમ સણાદર) ગામનાં વિડીલો, તાલુકા અને જિલ્લાના ના ડોક્ટરો , અગ્રણીઓ, આગેવાનો તેમજ હોસ્પિટલ નો સ્ટાફ હાજર રહ્યા હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment