ધનકવાડા ગામે કોવીડ-19 કેન્દ્ર ખાતે કોરોના વેકસીન નો પ્રારંભ, ગામના વડીલો એ લીધી વેક્સીન

હિન્દ ન્યૂઝ, દિયોદર

         દિયોદર આરોગ્ય વિભાગ ના અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ દરેક ગામો માં કોરોના વેકસીન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દિયોદર તાલુકા ના ધનકવાડા આરોગ્ય સબ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ-19 રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધનકવાડા આજુ બાજુ વિસ્તાર ના વડીલો એ કોરોના વેકસીન લીધી હતી. જેમાં આરોગ્ય કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. જેમાં ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા દરેક વડીલો ને કોરોના વેકસીન લેવા અપીલ કરવામાં આવી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment