‘શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ’ માં વિદાય સમારોહ

હિન્દ ન્યૂઝ, થાનગઢ

               ‘શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર’ માં ચાર વર્ષથી “દીદી” તરીકે ફરજ બજાવતા રીંકલબેન મકવાણા વિદ્યાલય માંથી વિદાય લઈ રહ્યા હોવાથી વિદ્યાલયમાં વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું. તારીખ-6/03/2021ને શનિવારના રોજ વિદ્યાલયમાં સમુહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું. ત્યાર બાદ રીંકલ દીદી ના ચાર વર્ષની વિદ્યાલય કામગીરી ને યાદ કરવામાં આવી “શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવારે” તથા પ્રધાનઆચાર્ય હસમુખ ગુરુજી તથા સહપ્રધાન આચાર્ય રાજેન્દ્રગુરુજી દ્વારા ભેટ-સોગાદો આપીને સન્માનિત કર્યા હતા. વિદાય સમારોહને ‘શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર’ થાનગઢ દ્વારા સફળ બનાવવામાં આવ્યો.

રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment