સાબરમતી આશ્રમથી ૧૨માર્ચના રોજ નીકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્લામાંથી પસાર થશે

હિન્દ ન્યૂઝ, ખેડા

તા.૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી નિકળનારી દાંડીયાત્રાનો શુભારંભ સાબરમતી આશ્રમથી કરાવશે. અમદાવાદ સાબરમતી આશ્રમથી નિકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્‍લામાં પ્રવેશ કરશે અને પૂ.મહાત્‍મા ગાંધીબાપુની ૧૯૩૦માં નિકળેલી મૂળ દાંડીયાત્રા મુજબના જ રૂટ ઉપરથી આ યાત્રા ખેડા જિલ્‍લામાંથી પસાર થશે. જેમાં ખેડા જિલ્‍લામાં જુદા જુદા ત્રણ ગામોમાં પદયાત્રીઓ રોકાણ કરશે. જેમાં અમદાવાદ સાબરમતીથી નિકળ્યા બાદ પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્‍યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ નવાગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્રીજા દિવસે માતરમાં રોકાણ કરશે તેમજ જિલ્લાના મુખ્‍ય મથક નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં પણ આ દાંડીયાત્રા રોકાણ કરશે.

ખેડા જિલ્‍લામાં આ યાત્રાના આયોજનને સુચારૂ રૂપે મૂળ રૂપ મુજબ જ પસાર થાય અને રાત્રી રોકાણ અને અન્‍ય આનુસાંગિક વ્‍યવસ્‍થાઓ માટે જિલ્‍લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના અધ્‍યક્ષપણા હેઠળ જુદા જુદા અધિકારીઓને જવાબદારી સુનિશ્વિત કરવામાં આવી છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment