વિરમગામ મા શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યૂઝ, વિરમગામ

વિરમગામ મા લુહાર સુતાર જ્ઞાતિ ની વાડી ખાતે મહા સુદ તેરસ ના રોજ સમગ્ર વિશ્વના રચયિતા શ્રી ભગવાન વિશ્વકર્મા ની જન્મજયંતી નિમિત્તે શ્રી વિશ્વકર્મા ભગવાન ની મહાપૂજા નો ઉત્સવ  વિરમગામ સમસ્ત લુહાર-સુતાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ વિરમગામ દ્વારા યોજવામાં  આવ્યો. આચાર્ય શાસ્ત્રી જયેશભાઈ પાઠક દ્વારા વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રોથી કરવામાં વિશ્વકર્મા ભગવાન ની મહાપુજા કરવામાં આવી યજમાન માં મયુરભાઈ ચંદુભાઈ સોલંકી પરિવાર, મહેશભાઈ રામજીભાઈ મકવાણા પરિવાર, વિષ્ણુભાઈ બુધાભાઈ પંચાલ પરિવારે ભાગ લીધો હતો. મહાપુજા તેમજ મહાઆરતી ના સમાપન બાદ સ્વ.ગાંડાભાઈ ચતુરભાઇ પંચાલ પરિવાર દ્વારા સમગ્ર વિશ્વકર્મા પરિવાર માટે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું


ઉલ્લેખનીય છે કે વર્ષોથી પરંપરાગત રીતે શ્રી વિશ્વકર્મા જયંતી ના દિવસે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારી ને શોભાયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં આવેલ કાર્યક્રમ ખાતે આ માસ્કને સેનેટાઈઝર ની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ હતી.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment