જેઠાભાઈ પાનેરા દ્વારા જૂનાગઢના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાનું સન્માન

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

જૂનાગઢ શહેર ની અંદર કાયદો ને વ્યવસ્થાની સંપુર્ણપણે તકેદારી રાખતાં સંપૂર્ણ ચુસ્તપણે નિયમો નું પાલન કરાવતા એવા કર્મનિષ્ઠ ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા નું માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરા, કોલેજના પ્રિન્સીપાલ ડો.મહેશભાઈ મેત્રરા દ્રારા સન્માન કર્યું.

તેમની સરાહનીય કામગીરી તેમજ તેમના કામ પ્રત્યેની નિષ્ઠા તેમજ જૂનાગઢના લોકોનું રક્ષણ સારી રીતે થઈ શકે અને લોકો સુરક્ષિત રીતે રહી શકે તેવી વાત તેમણે કરી હતી. તેમજ એમની કામગીરીને જેઠાભાઈ પાનેરાએ બિરદાવી હતી. સેવા, સુરક્ષા, શાંતિ આ સૂત્ર તેઓએ આપણા આ વિસ્તારમાં સાર્થક કરી બતાવ્યું છે.

અહેવાલ : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment