ખંભાળિયા શહેર ભાજપ ના કાર્યકરો દ્વારા શ્રી રામ મંદિર માટે દોઢ લાખ જેવું યોગદાન

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા

             અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા સમર્પણ નિધિ આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ ના દરેક હોદેદારો કાર્યકરો શુભેચ્છક દ્વારા મોટું યોગદાન આપવામાં આવ્યું છે. આ તમામ રોકડ રૂપિયા અને ચેક ભાજપના હોદેદારો એ સંઘ કાર્યલય ખાતે આર.એસ.એસ ના કેલાશભાઈ કણજારીયા ને અર્પણ કર્યા હતા. જેમાં ઈન્દ્રજીતસિંહ પરમાર, જીજ્ઞેશભાઈ પરમાર, મનુભાઈ મોટાણી, અશોકભાઈ કાનાણી, ઘનશ્યામસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, હસુભાઈ ધોળકિયા, પ્રતપભાઈ દતાણી, ભવ્યભાઈ ગોકાણી, જ્યેસભાઈ કણજારીયા, જયસુખભાઈ મોદી, મહેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ નકુમ, નિકુંજભાઈ વ્યાસ, હસમુખભાઇ નકુમ સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment