સૌરાષ્ટ્ર કચ્છ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ

હિન્દ ન્યૂઝ, જેતપુર

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની રાજનૈતિક ક્ષેત્રે થતી ઘોર ઉપેક્ષા બાબતે ચિંતન શિબિરનું આયોજન

         જેતપુરના જેતલસર નજીક આવેલી હોટેલ વ્રજ વાટિકા ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દરેક મતવિસ્તારમાં ખાસ્સું એવુ મતદાન ધરાવે છે. પરંતુ સમસ્ત કોળી સમાજના નામ પર ચુંવાળીયા કોળી સમાજનો માત્રને માત્ર વોટબેન્ક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનો અને વસ્તીના અનુંસંધાને રાજનૈતિક ક્ષેત્રે ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો સણસણતો આક્ષેપ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના રાજકોટ જીલ્લા પ્રમુખ હિતેષભાઇ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે.

 

અહેવાલ : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment