રૈયા રોડ પર રાષ્ટ્રીય પક્ષી મોર ઇજા ગ્રસ્ત હાલત માં મળતા સારવાર અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

          દિયોદર તાલુકા ના રૈયા માર્ગ પર શ્વાન ના ટોળા એ એક રાષ્ટ્રીય પક્ષી મોર ને ઘાયલ કર્યો હોવાનું સેવાભાવી યુવાન રમેશભાઈ ભાટી ને ફોન દ્વારા જાણવા મળતા તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી જઇ શ્વાન ના ટોળા એ ઇજા ગ્રસ્ત કરેલ મોર ને તાત્કાલિક ધોરણે પક્ષી સારવાર કેન્દ્ર પર લઈ જઈ સારવાર કરાવી હતી અને સારવાર બાદ આ રાષ્ટ્રીય પક્ષી મોર ને દિયોદર પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જેમાં ધ્રુવ રાવલ,રાહુલ જોષી, મહિપાલ ચૌધરી વગેરે સેવાભાવી લોકો પણ જોડાયા હતા અને સેવા નું કાર્ય કર્યું હતું.

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment