દિયોદર ખાતે રામ મંદિર નિર્માણ નિધિ કાર્યાલય ખુલ્લું મુકાયું

હિન્દ ન્યુઝ, દિયોદર

બનાસકાંઠા ના દિયોદર ખાતે શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતગ્રત માગશર વદ ૧૧ તા ૯/૧/૨૦૨૧ ના રોજ દિયોદર તાલુકા સંચાલન ટિમ દ્વારા દિયોદર નવી માર્કેટ યાર્ડ ખાતે આવેલ ૪૪ નવા ગંજ બજાર ખાતે વિવિધ આગેવાનો ની ઉપસ્થિત માં શ્રી રામ મંદિર નિર્માણ નિધિ માટે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં સોસીયલ ડિસ્ટન સાથે આજે દિયોદર ના પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, માર્કેટ સમિતિ ના ચેરમેન ઈશ્વરભાઈ તરક, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ તથા શ્રી રામ મંદિર નિર્માણ નિધિ ના કાર સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યાલય ને ખુલ્લું મુકાયું હતું.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment