થરાદના વડગામડામાં ડાયરામાં મુખ્ય કલાકાર વનીતા પટેલને થરાદ પોલીસનું તેડું

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ તાલુકાના વડગામડામાં કોરોના કાળ વચ્ચે ગામના ધનજીભાઇ ડુંગરાભાઇ ચૌધરી દ્વારા બુધવારની રાત્રિના દસ વાગ્યાના સુમારે ભજનસંતવાણી (લોકડાયરા) નું આયોજન કર્યું હતું. પોલીસે ડાયરાનું આયોજન કરનાર અને કલાકારો સહિત 12 સામે ફરિયાદ નોંધી કડક પગલાં લીધાં હતાં. જેમાં આયોજક ધનજીભાઇની અટકાયત બાદ પોલીસે તેમને મુક્ત કર્યા હતા. ત્યારબાદ મુખ્ય કલાકાર વનિતાબેન પટેલ (વ્રજવાણી, રાપર કચ્છ) હતાં. આથી થરાદ પોલીસે તેમને નોટીસ આપીને પોલીસમથકમાં બોલાવ્યા હતા. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે વનીતા પટેલ મંગળવારે સાંજે પોલીસ મથકમાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમને જામીન મુક્ત કર્યાં હતા.

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment