દિયોદર તાલુકા પંચાયત ના સેવક વય નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા પંચાયત કચેરી માં સેવક તરીકે છેલ્લા 12 વર્ષ થી સેવા આપતા કીર્તિભાઈ ઓઝા વય નિવૃત થતા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને તાલુકા વિકાસ અધિકારી એસ જી ઢુંકા ની હાજરી માં વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતત 12 વર્ષ થી તાલુકા પંચાયત કચેરી માં સેવા આપી વય નિવૃત થતા તાલુકા પંચાયત ના કર્મચારીગણ દ્વારા પાઘડી અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા જેમાં તાલુકા પંચાયત માં કીર્તિભાઈ ઓઝા ની કામગીરી ને સહુ કોઈ એ બિરદાવી હતી આ પ્રસંગે ન્યાય સમિતિ ના ચેરમેન કેષાબેન રેવાભાઈ પરમાર, કારોબારી ચેરમેન મનજીભાઈ જોષી, નાયબ તાલુકા વિકાસ અધિકારી પી આર દવે, ટી પી ઓ અશ્વિનભાઈ પટેલ, સોમાભાઈ દેસાઈ, પોપટજી ઠાકોર તેમજ તાલુકા પંચાયત કચેરી ના કર્મચારી અને તલાટી ક્રમ મંત્રી ગ્રામ પંચાયત ના સરપંચ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment