રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર જયનાથ પેટ્રોલ પંપ પાસે ૨ લાખની ઉધરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા પ્રણવભાઈ મયુરભાઈ શાહ નામના યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૪ મહિના પહેલા તેને પૈસાની જરૂરિયાત ઉભી થતા થોરાળા વિસ્તારમાં રહેતા અલ્તાફ ઉર્ફે પિન્ટુ સલીમભાઇ મલેક પાસેથી ૨ લાખ વ્યાજે લીધા હતા. જેનું ૪ મહિના સુધી વ્યાજ ભર્યું હતું પરંતુ હવે તેને વ્યાજ પોસાતું ન હોય પૈસા પરત આપી દેવા હોવાથી હપ્તા કરી દેવા વાત કરી હતી. જેથી અલ્તાફે પ્રણવને ફોન કરીને આજે બપોરે ભાવનગર રોડ ઉપર જયનાથ પેટ્રોલ પંપ પાસે બોલાવી તારે ૨ લાખ અત્યારે જ આપવા પડશે જો નહિ આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો ભાંડી સાથે ઉભેલા અજાણ્યા બંને શખ્સોએ ધોકાથી પગમાં માર માર્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment