ડીસા ના ઝેરડા આગમતા મંદીર ખાતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, ડીસા

અસત્ય પર સત્યનો વિજય ક્ષત્રિયોનું સૌર્ય અને સન્માનનુ પ્રતીક એટલે શસ્ત્ર પુજન. દશેરા પર્વ નિમિત્તે શ્રી યુવા જાગીરદાર રાજપુત આગમાતા યુવા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું.
શ્રી આગમાતા યુવા મિત્ર મંડળ દ્વારા ઝેરડાં આગમાતા મંદિર મુકામે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શસ્ત્ર પુજન કાર્યક્રમમાં સમસ્ત જાગીરદાર રાજપુત સમાજ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આ શસ્ત્ર પુજન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા અને ઉપસ્થિત દરેકના શસ્ત્રોની વિધિવત રીતે પુજા કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પધારેલ સૌ ક્ષત્રિયોએ સાથે મળીને આ પર્વને ઉજવ્યો હતો અને સંકલ્પ કર્યો કે તમામ સમાજને કોઈ પણ પડતી મુશ્કેલીમાં મદદરૂપ બનીશુ આમ સંકલ્પ લઈ એકતા નો સંદેશ પુરો પાડયો હતો.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment