આંજણા ચૌધરી સમાજ ના સંત શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની ૧૪ મી પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

           ભારતભરના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરૂ શ્રી રાજેશ્વર ભગવાન ના શિષ્ય રત્ન શ્રી ક્રિષ્ના રામજી મહારાજ પ્રભુ નું ભજન કરતા કરતા પોષ વદ ત્રીજના દિવસે રાજસ્થાન ના શિકારપુરા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે દેવલોક પામ્યા હતા. ત્યારથી આજદિન સુધી દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દ્વારા દિયોદર ના ચગવાડા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની ધામધૂમપૂર્વક પુણ્ય તિથિ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની ૧૪ મી પુણ્યતિથિ ની સાદાઈ થી ઉજવણી કરી હતી. જેમાં માત્ર મંડળના સભ્યો હાજર રહી શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટા ને ફુલહાર તેમજ દીપ પ્રગટાવી પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે આંજણા સમાજ પ્રમુખ નરેશભાઈ, ઉપપ્રમુખ શંકરભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ ગણેશભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ ડૉ.હસુભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ ભુદરભાઈ ચૌધરી, કારોબારી સભ્ય જામાભાઈ પટેલ, મંત્રી અક્ષય ચૌધરી, પૂર્વ પ્રમુખ દેવરાજભાઈ ચૌધરી, પરખાભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ લાલજીભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ડાયાભાઈ ચૌધરી, ચૌધરી ચેનાભાઈ તેમજ આશ્રમના થાનારામ પૂજારી હાજર રહી સંત શ્રી ક્રિષ્ના રામજી મહારાજ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment