શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી તથા કેન્દ્રિય ગ્રુહમંત્રી અમિતભાઇ શાહના જન્મદિવસ નિમિતે સોમનાથ મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી અમિતભાઇ શાહના જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર ના હસ્તે મહાપૂજા કરવામાં આવેલ. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ, તમામ ટ્રસ્ટીઓ, અધિકારીઓ સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી અમિતભાઇ શાહને જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય માટે શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment