ગોંડલ આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમ્યાન ભક્તજન માટે ખુલ્લું મુકાશે

હિન્દ ન્યૂઝ, ગોંડલ

ગોંડલમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર કોરોના મહામારી ના કારણે દર્શન બંધ હતા પરંતુ નવરાત્રી દરમ્યાન તા.૧૭/૧૦/૨૦૨૦ થી ૨૨/૧૦/૨૦૨૦ સુધી સવારે ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ સુધી દર્શન ખુલા રહેશે. આ સાથે તા.૨૩/૧૦/૨૦૨૦ ના અષ્ટમીના દિવસે હવનના દર્શન સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી રહેશે. કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી મંદિરનો મુખ્ય દ્વાર બંધ રહેશે. દર્શનાર્થી પટાંગણમાંથી દર્શન કરી શકાશે.
દર્શનાર્થી એ ફરજિયાત માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તથા સેનેટાઇઝ તથા હાથ ધોવા માટે હેન્ડ વોશ ની મંદિર તરફ થી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે .

રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોંડલ

Related posts

Leave a Comment