રાજકોટ શહેર જીલ્લા ડેરીના ચેરમેન પદે ગોરધનભાઈ ધામેલીયા

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેરીના વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાએ નવા ચેરમેનપદ માટે વિરપુરના ગોરધનભાઈ ધામેલીયાનું નામ રજુ કરતા તમામ સભ્યોએ સહમતિ આપી હતી. રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોરધનભાઈ ધામેલીયા નિશ્ર્ચિત મનાઈ છે. ગોરધનભાઈ ધામેલીયા જીલ્લા પંચાયતમાં સભ્યપદે રહી ચુક્યા છે. તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકમાં પણ ડિરેકટર છે. અને વિઠ્ઠલભાઈ રાદડીયાના વિશ્ર્વાસુ સાથીદાર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment