પ્રાકૃતિક સંપદા, વન્યજીવ અને સાંસ્કૃતિક ધરોહરનું સુરક્ષાચક્ર એટલે વનરક્ષક

૩૧ જુલાઈ “વર્લ્ડ રેન્જર ડે” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ભારતીય સંસ્કૃતીમાં કહેવાયું છે કે, આ સમગ્ર વિશ્વ પંચતત્વનું બનેલું છે. આ પંચતત્વ એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ તત્ત્વોનો સમન્વય. આ જ રીતે પૃથ્વી મુખ્યતવે પર્યાવરણ પર આધારિત છે. ‘પરિ’ એટલે કે આસપાસ અને ‘આવરણ’ એટલે કે આસપાસનું સ્તર અથવા વાતાવરણ. આ પર્યાવરણમાં પ્રાકૃતિક સંપદા, વન્યજીવ તેમજ અનેક સાંસ્કૃતિક ધરોહરનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કુદરતે અખૂટ પ્રાકૃતિક સંપદા આપી છે. જંગલના વિસ્તારનું સંચાલન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરતા વનરક્ષકો આ પ્રાકૃતિક સંપદાની…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શરૂ કરેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને એક જનઆંદોલન બનાવવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે અને હવે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે…

Read More

બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં સૂચવાયા

હિન્દ ન્યુઝ, બોટાદ       બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે આ મુજબ માર્ગદર્શન અપાયું છે.        મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ)અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી.ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારીત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી, પિયત આપવું.        સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો…

Read More

પ્રાકૃતિક ખેતપેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે બની રહ્યું છે નાકાણીય સમૃદ્ધિનું સાધન

હિન્દ ન્યુઝ, મોરબી  “કિસાન સન્માન નિધિના હપ્તા અને સરકારના સહકાર થકી પ્રાકૃતિક ખેતી બની ઝીરો બજેટ ખેતી” – ખેડૂત અશોકકુમાર પરેચા મોડલ ફાર્મ ધરાવતા મોરબી પાસેના લખધીરનગર (નવાગામ)ના ખેડૂતે ખારેક, ડ્રેગન ફ્રુટ, સરગવો, હળદર, કઠોળ, મગફળી, તલની પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધિ મેળવી મગફળી – તલ પાકોનું તેલ કઢાવી આનુસંગિક આવકમાં પણ કરે છે વધારો ખેડૂતનું સાહસ અને સરકારની સહાયના સંગમ થકી કૃષિ ક્ષેત્ર બની રહ્યું છે સમૃદ્ધ પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પામાં પારંગતતા મેળવી તેનો ભરપૂર કરે છે ઉપયોગ

Read More

તળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર    આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને GPKVB ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫/૦૭/૨૦૨૫ ના રોજ તળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયેલ હતો.  ખેડૂતો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળીને ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે ભાવનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા વિશેષ કિસાન ગોષ્ઠિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.    આ કાર્યક્રમમાં ૭૪ ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતીની સવિશેષ માહિતી મદદનીશ ખેતી નિયામક ડી. પી જાદવ તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજર રાજભા ગોહિલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર બ્રિજેશ સોલંકી દ્વારા…

Read More

બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં સૂચવાયા

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં આ મુજબ સૂચવાયા છે. શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર/ કાંકસી/ જંગલી ભીંડા/ કોંગ્રેસ ઘાસ/ જંગલી જાસૂદ વિગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી,…

Read More

સૂક્ષ્મજીવોના મહત્વ અને ઇકોસિસ્ટમના સંતુલન જાળવવા પ્રાકૃતિક કૃષિ એક સર્વગ્રાહી અભિગમ

હિન્દ ન્યુઝ, મોરબી     પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને વંદન કરવાનો એક માર્ગ છે, જે આપણી આગામી પેઢીઓ માટે સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યની ખાતરી આપે છે.      પ્રાકૃતિક કૃષિનો આધાર પ્રકૃતિના નિયમોને સમજવા અને તેનું પાલન કરવા પર રહેલો છે. આ પદ્ધતિ ભારતીય ખેતીની…

Read More

પ્રાકૃતિક શાકભાજી ઝેરમુક્ત અને પોષક તત્વોથી ભરપૂર

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોએ વિવિધ પાકોની સાથે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરીને ઝેરમુક્ત ખેતી અપનાવી છે. ખેડૂતો જો ઋતુ પ્રમાણે પ્રાકૃતિક શાકભાજીનું સમયસર વાવેતર કરે તો મબલક ઉત્પાદન મેળવી શકે છે. એ માટે બીજ માવજત, વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી, વાવવાની પધ્ધતિની સાથે જીવામૃતના ઉપયોગ અંગેની વિગતવાર જાણકારી મેળવીએ.  બીજ માવજત: શાકભાજીના સારા ઉત્પાદન માટે બીજને બીજામૃતથી સંસ્કારિત કરો. બીજને સંસ્કારીત કરવાથી બીજમાં સારો ઉગાવો આવશે, તથા સારા પાકના રૂપમાં સારું ઉત્પાદન મળશે. બીજને જીવામૃતમાં ડુબાડો અને અમુક સામાન્ય બીજને ૬-૭ સેકન્ડ અને…

Read More

તાલીમ થકી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવતાં ઉનાના ખેડૂતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ઉનામાં જલારામ વાડી ખાતે તા.૦૩ જૂલાઈથી ૦૫ જૂલાઈના રોજ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાંથી આશરે ૫૦ કરતાં વધારે ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આ ખેતીમાં આગળ વધી અને સાથે જ ગાય તેમજ પ્રકૃતિનું જતન કરે એવા હેતુસર આ તાલીમમાં જોડાયાં હતાં. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ દરમિયાન મનીષભાઈ બલદાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિધ્ધાંતો અને પાયાની…

Read More

દક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી તાપી નદીનો આજે જન્મદિવસ

હિન્દ ન્યુઝ, સુરત      થોડી તાપી નદી વિશેની માહિતી      આજે અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. આજે શહેરીજનો…

Read More