વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે અંદાજે ૧૧ હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટની પ્રક્રિયા ઓનલાઈન કરાશે:શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષઓ-સભ્યઓ સાથે બેઠક યોજાઈ ફી નિયમન સમિતિઓ વચ્ચે કામગીરીનું સંકલન કરી તેમાં એકસૂત્રતા જળવાય તથા કામગીરી વધુ ઝડપી બને તે હેતુથી SOP તૈયાર કરાશે

Read More

‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર            ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડો જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે

Read More

જામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી 

હિન્દ ન્યુઝ, જામનગર           જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં જામનગરમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે અન્વયે રજૂ થયેલ અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના જોડિયા ભૂંગા વિસ્તાર, મહાકાળી ચોક ઢીંચડા રોડ, મોહનનગર, યોગેશ્વરનગરમાં તેમજ જામજોધપૂર તાલુકાના ગીંગણી, પાટણ-પરડવા તથા સમાણા ગામે નવી દુકાનો ખોલવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.  બેઠકમાં જિલ્લા…

Read More

વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહન (મીડિયમ તથા હેવી ગુડ્ઝ વ્હીકલ) વ્યવહાર પસાર કરવા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વેરાવળ શહેર વિસ્તારમાં સોમનાથ-વેરાવળ રેલવે લાઈન અને વેરાવળ-જૂનાગઢ રેલવે લાઈન ખાતે રેલવે ઓવરબ્રીજની કામગીરી કરવા માટે આ રૂટ પરનો ટ્રાફિક વૈકલ્પિક રૂટ વેરાવળ બંદર રોડ અને હરસિદ્ધિ સોસાયટીમાંથી ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું ૩૧/૧૨/૨૦૨૪ સુધી બહાર પાડવામાં આવેલું છે. પરંતુ, વેરાવળ બંદરની હદમાં આવેલ રોડ પરના તમામ પુલ ખૂબ જ જર્જરીત…

Read More

જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજિક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકેદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ            રાષ્‍ટ્રીય સુરક્ષા અને જાહેર વ્‍યવસ્‍થા અને સલામતી માટે ભયજનક તત્‍વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સચોટ માહિતી પ્રાપ્‍ત થઇ શકે તે માટે કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલીએ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ તમામ હોટલ, ગેસ્‍ટહાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનામું બહાર પાડી તકેદારીનાં પગલાંઓનો ચૂસ્‍તપણે અમલ કરવા જણાવ્‍યું છે.         હોટલ, ગેસ્‍ટહાઉસ કે લોજમાં રહેવા આવનાર તમામ મુસાફરના સ્‍વહસ્‍તાક્ષરમાં નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ…

Read More

સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આરસેટી (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ૩૫ જેટલા યુવકો એ.સી. અને ફ્રીજની રીપેરીંગ તાલીમ લઇ રહ્યા છે.  ડી.આર.ડી.એ. અને આરસેટી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા…

Read More

કચ્છમાં ૭૦૦થી વધુ મહિલાઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનાઈઝેશન (F.P.O.) સાથે જોડાઈને ઘર બેઠા મેળવી રહી છે રોજગારી

હિન્દ ન્યુઝ, ભુજ           રાજ્યમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે વડાપ્રધાનના વિઝન હેઠળ ગુજરાતમાં અનેક કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. પ્રથમ સરહદી જિલ્લા કચ્છમાં મહિલાઓ ખેડૂત ઉત્પાદક સંઘના(એફ.પી.ઓ) માધ્યમથી રોજગારી મેળવી રહી છે.           કચ્છ જિલ્લામાં ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે જિલ્લાની ૭૦૦થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. ફરસાણ, મીઠાઈ વગેરે વસ્તુઓ ઘર બેઠા બનાવીને મહિલાઓ એફ.પી.ઓના માધ્યમથી રોજગારી મેળવી રહી છે. ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે સંકળાયેલા ભૂમિકાબેન છાભૈયા જણાવે છે કે, ભારત સરકારના એફ.પી.ઓ પ્રોજેક્ટ…

Read More

સખી બહેનોની કલા, પરિશ્રમ અને કર્મનિષ્ઠાને રાજ્ય સરકારનું પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળના એન.આર.એલ.એમ.દ્વારા જામનગરના આંગણે આયોજિત રાજ્ય કક્ષાના સરસમેળાને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખુલ્લો મુક્યો હતો અને સરસ મેળાના વિવિધ સ્ટોલસની મુલાકાત લઈ ત્યાંથી ખરીદી કરી સમગ્ર રાજ્યના સખી મંડળોની બહેનોના ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે બહેનો આર્થિક રીતે પગભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરી હતી. અને આ મંડળને લોન, સહાય, તાલીમ, માર્ગદર્શન તથા વેંચાણનું માધ્યમ પૂરું પાડી મહિલા સશક્તિકરણને નવી…

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઈણાજ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લાના વિવિધ પ્રવાસ સ્થળોનો વિકાસ કરવા તેમજ લોક સુવિધાના વિકાસ કાર્યો હાથ ધરવાં અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ માધવરાય મંદિર પ્રાચી ખાતે એપ્રોચ રોડ બનાવવા અને ઓમનાથ મહાદેવ ઉંબામાં વિકાસલક્ષીકાર્યો હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી. નિવાસી અધિક કલેકટર રાજેશ આલે વિવિધ પ્રવાસન સ્થળોનાં વિકાસ કરવા માટે રજૂ કરવામાં આવેલી દરખાસ્તોની વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, વિમલભાઈ…

Read More