દિયોદર ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળ ના પ્રમુખ અને સભ્યો દ્વારા દીપ પ્રાગટય કરી બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર ના સભ્યો દ્વારા આવેલ આગેવાનો અને સમાજ ના આગેવાનો ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યા માં રક્તદાન એ માહાદાન ના ભાગરૂપે બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા પંચાયત સદસ્ય ડો.હસુભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, જામાભાઈ પટેલ, મંડળ ના પ્રમુખ ડો. નરેશભાઈ ચૌધરી, ઉપ પ્રમુખ ડાયાભાઈ ચૌધરી, મંત્રી શંકરભાઇ ચૌધરી, અક્ષયભાઈ ચૌધરી, જોરાભાઈ ચૌધરી વગેરે આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment