દિયોદર પ્રાથમિક શિક્ષક શરાફી સહ મંડળી ના ચેરમેન પદે વરણી

હિન્દ ન્યૂઝ, દિયોદર,

દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી માં બિન હરીફ તરીકે ચેરમેન પદ પર ભદ્રસિંહ રાઠોડ ની બિન હરીફ વરણી કરવામાં આવી છે. ૧૮ કરોડ રૂપિયા કરતા વધુ ટર્નઓવર કરતી આ દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી ની ચૂંટણી માં ફરી એક વખત ભદ્રસિંહ રાઠોડ ની વરણી કરવામાં આવી છે. બે વાર ચેરમેન પદે સેવા આપ્યા બાદ ત્રીજા ટર્મ માં પણ બિન હરીફ વરણી કરવામાં આવતા મિત્રો અને શિક્ષકો એ શુભેચ્છા ઓ પાઠવી હતી ત્યારે બીજી તરફ વાઇસ ચેરમેન પદે ડાયાભાઇ જોષી ની પણ વરણી કરવામાં આવી હતી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment