રાજકોટ શહેરના પોલીસે કોરોના વાયરલથી મોતને ભેટેલા ૨ જવાનને આપી શ્રધ્ધાંજલી

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૨૪/૯/૨૦૨૦ ના રોજ વડોદરા કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા A.S.I અરવિંદભાઈ કાશીનાથ થોરાટ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશકુમાર રાવસ્વરૂમ કોલીને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ બંને કોરોના વોરિયર્સનું ગત તારીખ.૨૧ના રોજ તેઓનું દુ:ખદ નિધન થતા પોલીસ બેડામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. તેઓની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી ભાવના સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, G.C.P ખુર્શીદ અહેમદ, D.C.P મનોહરસિંહ જાડેજા, D.C.P પ્રવિણકુમાર મીણા, A.C.P, P.I, P.S.I સહિતના સ્ટાફે પોલીસ કમિશ્નર કચેરી ખાતે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી આપી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment