અરવલ્લી ખાતે શામળાજી પોલીસ સ્ટેશનના બળાત્કાર અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડતી પાડતી એલ.સી.બી.

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,

તા.૨૪/૦૯/૨૦૨૦, શામળાજી પોલીસ સ્ટેશનના બળાત્કાર અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજ્યના મુખ્ય આરોપી તેમજ સહ આરોપીને પકડતી પાડતી એલ.સી.બી.અરવલ્લી. પોલીસ મહાનિરીશ્રક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓ તેમજ સંજય ખરાત પોલીસ અધિશ્રક અરવલ્લી મોડાસા નાઓ દ્વારા ગુમ અપહરણ અંગે અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોક્ત સૂચના અન્વયે આર.કે.પરમાર, પોલીસ ઈન. સપેક્ટર એલ.સી.બી.અરવલ્લી તથા એલ.સી.બી.અરવલ્લી, મોડાસા સ્ટાફના અ.હે.કો.નરેન્દ્રસિંહ પદમસિંહ તથા અ.હે.કો. માનીશ કુમાર બાબુલાલ તથા અ.હે.કો.દિલીપભાઈ રામાભાઈ નાઓ શામળાજી પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો.નરેન્દ્રસિંહ પદમસિંહ એલ.સી.બી.અરવલ્લી મોડાસા નાઓને મળેલ માહિતી અન્વયે શામળાજી પોલીસ ફર્સ્ટ ગુ.ર.ન.૭૧/૨૦૧૫ ઈ.પી.કો.ક.૩૬૩,૩૬૬,૩૭૬ મુજબના કામે ઓડ તા.ભિલોડા ગામની છોકરી નું અપહરણ અગાઉ થયેલ આ કામે નાસતા ફરતા આરોપી (૧) કમલેશ કુમાર સોમાભાઈ અસારી તથા (૨) સોમાભાઈ કાળાભાઈ અસારી બન્ને રહે.બોરના પાણી પો.તલેયા તા.વીંછીવાડા જિ.ડુંગરપુર (રાજસ્થાન)વાળા છેલ્લા પાંચેક વર્ષથી ગુન્હો કરી પોલીસ ની નજર છૂપાવી નાસતા ફરેલ છે અને હાલ કલોલ તાલુકાના છત્રાલ મુકામે તિરુપતિ બાલાજી કંપની માં જી.આઇ.ડી.સીમા મંજૂર કામ કરે છે. તેવી બાતમી હકીકત મળવી સદર જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત ઈસમો મળી આવેલા. આ બંને આરોપીને અરવલ્લીના એલ.સી.બી.એ શોઘી કાઢયા સાથે વધુ તાપસ હાથ ધરેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment