હરિયાણા ખાતે રખડતા ઢોર નાં કારણે વાણીયા શેરી નાં સોસાયટી માં મુખ્ય પ્રવેશદ્વાર પર સામૂહિક સમજૂતીથી ગેટ મૂકવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, હડિયાણા,

હડિયાણા ગામ તથા શહેરના માર્ગો અને સોસાયટીઓમાં અસંખ્ય રેઢિયાળ ઢોર ના ત્રાસ થી વાહન ચાલકો અને નાના બાળકો મહિલા ઓને અને વયોવૃદ્ધ ને ભારે તકલીફ પડતી હોય છે. વધુમાં વધુ નુકસાની નો સામનો કરવો પડે છે. અને કોઇ પણ પ્રકારની તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી. પરંતુ હડિયાણા ગામે વાણીયા શેરીમાં એક સોસાયટીમાં રહેતા લોકો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર સામુહિક સમજૂતી થી એક ગેઇટ મુકવામાં આવેલ છે. જેનાથી સોસાયટીમાં રખડતા ઢોર પ્રવેશ ન કરે અને કોઇ પણ જાતની નુકસાની ન થાય અને ગંદકી પણ ન થાય અને સ્વચ્છતા જળવાઈ રહે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment