હિન્દ ન્યૂઝ, વિરમગામ
વિરમગામ ના રેહવાસી બાહોશ નીડર યુવા પત્રકાર ફૈયાઝ હુશેન ની અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ માં નિમણૂંક કરવામાં આવી છે. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી દ્વારા કર્મનિષ્ઠા , લગન , સમાજસેવા તેમજ સામાજિક સંગઠનાત્મક કાર્યો ને ધ્યાને રાખીને વિરમગામ શહેર ના બાહોશ નીડર યુવા પત્રકાર અને હંમેશા લોકો ના પ્રાણ પ્રશ્નો ને વાચા આપી ખુબ જ ટૂંકા સમયગાળામાં પત્રકારિત્વ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ફૈયાઝહુશેન રજ્જાકભાઈ ને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ન્યુ દિલ્હી માં વિરમગામ તાલુકા સહિત જીલ્લા માં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ