હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુશ્રીના માનવ સેવા એજ પ્રભુ સેવાના દિવ્ય ઉદેશને ચરિતાર્થ કરીને લોકો સ્વચ્છ રહે ચિંતા રહીત રહે માટે સતત પ્રભુ પ્રાર્થના અને વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવે છે. એજ ઉદેશથી વિશ્ર્વનાં કલ્યાણ અને શાંતિ માટે તથા લોકોની સુખાકારી અને સ્વચ્છતા અને શાંતિ રહે એ માટે ૯ કરોડ ‘રામ,રામ,રામ,રામ,રામ,રામ’ ના મહામંત્રના જપ યજ્ઞનું સુંદર આયોજન પવિત્ર પુરૂષોતમ માસમાં અધિક માસમાં શ્રી.સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી બાપુશ્રીની પ્રેરણા અને સંકલ્પરૂપી તા.૧૮/૯ શુક્રવારથી તા.૧૬/૧૦ શુક્રવાર સુધી આયોજન કરવામાં આવેલ છે.
રિપોર્ટર : દિલીપ પરમાર,
રાજકોટ