ABVP રાજસ્થાન પાલી વિભાગ સંગઠન મંત્રી એ અંબાજી મંદિરમાં દર્શન કર્યા

અંબાજી

            ૧૨ સપ્ટેમ્બર, લોકડાઉન પછી અનલૉક માં મંદિરઓ ખુલ્લા મુકાયા છે ત્યારે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન પાલી વિભાગ સંગઠન મંત્રી ભવાનીજી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથ સુવનસા સહિત ABVP નાં કાર્યકર્તા આજે માઁ અંબે નાં દર્શને આવી પહોંચ્યા હતા.

અંબાજી મંદિરમાં દર્શન કરી ભટ્ટજી મહારાજ ની ગાદી પર દર્શન કર્યા હતા, ત્યાર બાદ અંબાજી ABVP નગર મંત્રી અંકિત ખારોલ દ્વારા વિભાગ સંગઠન મંત્રી ભવાનીજી, સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથજી સુવનસા અને આબુરોડ નગર મંત્રી ઉર્વશી દેસાઈ નું ABVP નાં ખેશ પેરાવી સમ્માન કરાયું હતું. વિભાગ સંગઠન મંત્રી ભવાનીજી સાથે માં અંબે ના દર્શન કરવા સિરોહી જિલ્લા સહ સંયોજક દશરથજી સૂવનસા , આબુરોડ નગર મંત્રી ઉર્વશી દેસાઈ, દર્શના જી દેસાઈ સિરોહી જિલ્લા મહિલા મોરચા ઉપાધ્યક્ષ, વિજય કોટવાલ સિરોહી જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ, અંબાજી નગર મંત્રી અંકિત ખારોલ, પ્રકાશ હિરાગર, લવ ખત્રી, વિક્રમ લોઢા સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને માઁ અંબે ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment