સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી જાન્યુઆરી/૨૦૨૨ – ફેબ્રુઆરી/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૨૨/૦૧/૨૦૨૧ના રોજ બજરંગદાસ બાપા પુણ્યતિથિ, તા.૨૬/૦૧/૨૦૨૨નાં રોજ પ્રજાસત્તાક દિન, તા.૩૦/૦૧/૨૦૨૨નાં રોજ ગાંધી નિર્વાણ દિન, તા.૦૫/૦૨/૨૦૨૨નાં રોજ વસંત પંચમી, તા.૦૮/૦૨/૨૦૨૨નાં રોજ શ્રી ખોડીયાર જ્યંતિ તથા તા.૧૩/૦૨/૨૦૨૨નાં રોજ વિશ્વકર્મા જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતુ જાહેરનામું જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારું બહાર પાડવુ જરૂરી જણાતાં અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબનાં પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૨૦/૦૨/૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment