રાજકોટ-મુંબઇ વચ્ચે વિમાની સેવા ૧૪ સપ્ટેમ્બર થી શરૂ થશે. ૧૮ સપ્ટેમ્બરથી રાજકોટ થી દિલ્હી વિમાની સેવાઓ શરૂ થશે

રાજકોટ,

તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-ભાવનગર થી મુંબઈ તરફ જઈ રહેલી વિમાની સેવાઓનું ૫ મહિના બાદ શુભારંભ થશે. ૧૪ સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઇ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. ૧૮ સપ્ટેમ્બરથી રાજકોટ થી દિલ્હી વિમાની સેવાઓ શરૂ થશે. સવારે ૮ વાગે દિલ્હી થી ફ્લાઇટ આવશે. સવારે ૮:૫૦ કલાકે દિલ્હી જવા રવાના થશે. ૧૪ સપ્ટેમ્બરથી ભાવનગર-મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ થશે. વિમાની સેવા શરૂ કરવા અંગે વારંવાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને રજૂઆતો કરી હતી. રજૂઆત બાદ આગામી તા.૧૪ સપ્ટેમ્બરથી રાજકોટ-મુંબઈની ફ્લાઈટનો પ્રારંભ થશે.

રિપોર્ટર : દિલીપ પરમારસી, રાજકોટ

Related posts

Leave a Comment